ભાગવત રહસ્ય - ૨૯૬ પાપ અને સાપ સરખાં છે.સાપ કરડે કે તરત જ જે અંગ પર સાપ કરડ્યો હોય તે આંગળી અથવા અંગ કાપી નાખવામાં આવે તો ઝેર શરીરમાં પ્રસરતું નથી અને બચી જવાય છે. તે જ પ્રમાણે પાપનો વિચાર મનમાં આવે તે જ ક્ષણે તેને કાપી નાખવામાં આવે તો પાપમાંથી બચી જવાય છે.જો પાપ થોડો સમય પણ મનમાં ઘર કરે તો પછી તેને અટકાવવું મુશ્કેલ છે. પાપ હોય કે પુણ્ય હોય,પણ તેનું ફળ ભોગવ્યા સિવાય તેનો નાશ થતો નથી. પુણ્ય ભોગવવા માટે પણ જન્મ લેવો પડે છે. તેથી જ ઋષિઓ-મહાત્માઓ પુણ્યને કૃષ્ણાર્પણ કરે છે. પુણ્ય કૃષ્ણાર્પણ (કૃષ્ણને