ભાગવત રહસ્ય - 295

  • 258
  • 90

ભાગવત રહસ્ય -૨૯૫   એક વખતે શ્રીહરિ ગોપબાળકો સાથે જમુના કિનારે વનમાં વાછરડાં ચરાવવા આવ્યા.અને જમુના કિનારે તેઓ બાળમિત્રો સાથે જાતજાતની રમતો રમવા લાગ્યા. આ ગોપ-બાળો પણ કેવા બડભાગી છે? તેમના ભાગ્ય નું કોણ વર્ણન કરી શકે ?જેનાં દર્શન યોગીઓ ને પણ દુર્લભ છે,તે પરબ્રહ્મ પરમાત્મા સાથે તેઓ રમી રહ્યા છે !!!! શ્રીકૃષ્ણ બાળમિત્રો સાથે રમી રહ્યા હતા તેવે વખતે “અઘાસુર” નામનો રાક્ષસ મોટા અજગરનું રૂપ લઇને સર્વને ગળી જવાની ઈચ્છાથી માર્ગમાં આવી,મોઢું ફાડીને બેઠો છે.અઘાસુરનું મુખ પર્વતની ગુફા જેવું લાગે છે.જે જોઈને-   એક ગોપબાળ બોલ્યો કે-આ ગુફા લાગતી નથી, આમાંથી શ્વાસ નીકળે છે,આ કદાચ અજગર હશે. બીજો ગોપબાળ