ભાગવત રહસ્ય -૨૯૪ જમુનાજીને કિનારે શ્રીકૃષ્ણ ગાયો ચરાવે છે અને ઉપનંદકાકા સુંદર વાંસળી વગાડે છે.લાલાએ તે વખતે ઉપનંદકાકાને કહ્યું-કે-કાકા મને તમારી વાંસળી આપો,મારે તમારા જેવી વાંસળી વગાડવી છે.ત્યારે ઉપનંદકાકા કહે છે-કે-બેટા મારા જેવી વાંસળી વગાડતાં તને આવડે નહિ,હું ચાલીસ વર્ષથી વાંસળી વગાડું છું.ચાલીસ વર્ષથી મહેનત કરું છું –ત્યારે આવી વાંસળી વગાડી શકું છું.મારી પાસે આ એક જ વાંસળી છે,પણ હું તને જંગલમાંથી વાંસ કાપીને નવી વાંસળી બનાવી આપીશ. જંગલમાં ફરતાં ફરતાં લાલાએ વાંસ બતાવ્યો.ઉપનંદકાકા વાંસને કાપવા વાંસ પાસે ગયા,પણ ત્યાં જઈને જોયું તો ત્યાં તો દેવોએ પહેલેથી જ તૈયાર વાંસળી મૂકી રાખી હતી.ઉપનંદકાકાને આશ્ચર્ય થયું અને તેમણે લાલાને