ભાગવત રહસ્ય - 293

  • 368
  • 104

ભાગવત રહસ્ય - ૨૯૩   કરેલાં સત્કર્મોનું પુણ્ય એ “ફળ” છે. જે મનુષ્ય પોતાના આ સત્કર્મોનું પુણ્ય-ફળ ભગવાનને અર્પણ કરે છે,તેની બુદ્ધિ-રૂપી ટોપલી, ભગવાન બ્રહ્મવિદ્યા-રૂપી દિવ્ય રત્નોથી ભરી દે છે.માલણ એ જીવ છે.જીવ પાસે પરમાત્મા સત્કર્મનું ફળ (પુણ્ય) માગે છે.અને જીવ જો તે ફળ અર્પણ કરે તો પરમાત્મા અનેક ગણું કરીને પાછું આપે છે. ગીતામાં શ્રીકૃષ્ણ અર્જુન ને કહે છે કે-હે અર્જુન,તું જે કાંઇ કર્મ કરે,જે કાંઇ ખાય,જે કાંઇ હવન કરે,જે કાંઇ દાન કરે,જે કાંઇ તપ કરે તે-સઘળું મને અર્પણ કર.તો તું મને પ્રાપ્ત કરી શકીશ. (ગીતા-૯-૨૭)   માટે સર્વ કર્મો ભગવાનને અર્પણ કરવાના છે.કૃષ્ણને અર્પણ કરેલા કર્મનું ફળ ભોગવવાની