ભાગવત રહસ્ય - 282

  • 314
  • 104

ભાગવત રહસ્ય -૨૯૨   દામોદરલીલા પછી માલણનો પ્રસંગ આવે છે.ભાગવતમાં એક-બે શ્લોકમાં આ કથા છે. પણ વૃંદાવનના મહાત્માઓ,આના પર બહુ વિચાર કરે છે.ભાગવતમાં -સુખિયા માલણ ની આ કથામાં શ્રીકૃષ્ણની બાળલીલાની સમાપ્તિ કરી છે.મથુરામાં સુખિયા નામની એક માલણ રહેતી હતી.તે રોજ ગોપીઓને ઘેર ફુલ-તુલસી આપવા જાય.ગોપીઓના ઘરમાં વાતોનો એક જ વિષય છે.-અને તે શ્રીકૃષ્ણ.એટલે માલણ રોજ આ કૃષ્ણકથા સાંભળે.રોજ કથા શ્રવણ કરતાં કરતાં માલણને શ્રીકૃષ્ણમાં પ્રેમ જાગ્યો છે,તેની ભક્તિ વ્યસનરૂપ થઇ છે.   માલણ વિચારે છે-કે-આ ગોપીઓ જે કનૈયા પાછળ ઘેલી બની છે,તે કનૈયો કેવો છે? મારે તેનાં દર્શન કરવાં છે. માલણને કૃષ્ણ દર્શનની ઈચ્છા થઇ છે.લાલાનાં દર્શન કરવા માલણ રોજ