ભાગવત રહસ્ય - ૨૯૧ શુકદેવજી વર્ણન કરે છે-અનેક વાર ગોપીઓ યશોદાજીને ઘેર આવી તેમને કહે છે કે- મા,મારે ઘેર લાલાને મોકલોને. ગોપીઓ લાલાને પૂછે છે કે-લાલા મારે ઘેર આવીશ ? કનૈયો પૂછે છે કે-હું તારે ઘેર આવું તો તું મને શું આપીશ ? ગોપી કહે છે કે-માખણ. કનૈયો પૂછે છે કે –કેટલું માખણ આપીશ ? ગોપી સામે પૂછે છે કે-લાલા, તને કેટલું માખણ જોઈએ ?ત્યારે લાલો બે હાથ પહોળા કરી ને કહે છે કે-આટલું,બધું. ગોપી પૂછે છે –લાલા,આટલું માખણ શું તું ખાઈ શકીશ ? ત્યારે કનૈયો કહે છે-કે-હું જે માગું છું તે મારા મિત્રો માટે,મારે કંઈ ખાવું નથી.મારે