ભાગવત રહસ્ય - ૨૯૦ ધરાદેવી પાસેના ગામમાં એક વણિકની દુકાને આવ્યાં.અને બધી સીધુંસામગ્રી બંધાવી.તેઓ ભોળાં હતાં,તેમને ખબર નહિ કે આના પૈસા આપવા પડે.વણિકે પૈસા માગ્યા.ધરાદેવી કહે-કે મારી પાસે પૈસા તો નથી.ધરાદેવી સ્વરૂપવાન હતાં.વણિક તેમના રૂપમાં મોહાયો.તેણે ધરાદેવી ને કહ્યું કે-તો તમારી પાસે જે છે તે આપો.ધરાદેવી કંઈ સમજ્યા નહિ.એટલે વણિકે તેમના સ્તન તરફ હાથ બતાવ્યો. ધરાદેવી સમજ્યાં કે આ મારા સ્તન માગે છે.તેથી તેમણે પોતાના બંને સ્તનો કાપીને વણિકને આપી દીધા અને સીધુંસામગ્રી લઈને ઘેર આવ્યા. તે યુવક તો વિષ્ણુ ભગવાન હતા અને સાથે શિવ-પાર્વતી હતાં.તેઓ પ્રસન્ન થયાં. ભગવાને કહ્યું કે-અમારા માટે તમે તમારા સ્તનોનું દાન કર્યું છે-તેથી