ભાગવત રહસ્ય -૨૮૯ શ્રીકૃષ્ણ માટે એકાંતમાં જે રડે છે,તેને શ્રીકૃષ્ણ આવીને મળે છે. હસનારને કનૈયો મળતો નથી.પ્રભુનો આ સ્વભાવ છે,કે જે જીવ તેમને માટે રડે છે તેમને માટે તે દોડતા આવે છે.યશોદાજી રડે છે,લાલાએ આ જોયું અને તેમનાથી આ સહન ના થયું,એટલે દોડતા ગયા છે.લાલાજી મા ની ગોદ માં બેઠા છે અને પીતાંબરથી મા ના આંસુ લૂછે છે. મા એ પણ પ્યાર કર્યો છે. યશોદા મા વિચારે છે-કે-મારો લાલો કેવો ડાહ્યો છે ! મારી આંખમાં આંસુ આવે તે તેનાથી સહન થતું નથી.એ તો મને બહુ પ્યાર કરે છે,પણ મારી બુદ્ધિ બગડી એટલે મેં તેને બાંધ્યો. યશોદાજી લાલાને સમજાવે