ભાગવત રહસ્ય -૨૮૭ શ્રીકૃષ્ણ બાલ મિત્રોને કહે છે-કે-મારે આજે બળદગાડાની લીલા કરવી છે.એટલે હું બંધાયો છું.બાળમિત્રો પૂછે છે કે- લાલા,બળદગાડાની લીલા એટલે શું ? કનૈયો સમજાવે છે કે-બળદગાડાની લીલામાં હું બળદ થઈશ અને ખાંડણીયું થશે ગાડું. હું ખાંડણીયાને બળદગાડાની જેમ ખેંચીશ.દામોદર –શ્રીકૃષ્ણે વિચાર કર્યો કે હું બંધનમાં આવીશ પણ અનેક જીવોને બંધનમાંથી મુક્ત કરીશ. શ્રીકૃષ્ણ ખાંડણીયાને ખેંચતા ખેંચતા ઘરની બહાર રહેલા યમલાર્જુનના બે ઝાડ પાસે આવ્યા અને તે બે ઝાડ વચ્ચે થઇને નીકળ્યા.તે વખતે ખાંડણીયો આડો પડી બે ઝાડ વચ્ચે ફસાઈ ગયો.શ્રીકૃષ્ણે પેટ પર બાંધેલા દોરડાથી તેને ખેંચ્યો,એટલે તે બે વૃક્ષ પડી ગયાં અને તેમાંથી બે તેજસ્વી પુરુષો