ભાગવત રહસ્ય - 285

  • 608
  • 320

ભાગવત રહસ્ય -૨૮૫   દોરડા વડે પેટ (ઉદર) આગળથી બંધાણા –એટલે કૃષ્ણનું નામ પડ્યું દામોદર.અને એથી આ લીલાને દામોદર લીલા કહે છે.આ લીલાનું તાત્પર્ય એ છે કે-ઈશ્વર માત્ર પ્રેમથી વશ થાય છે - કૃપા કરે છે,અને બંધાય છે.જ્યાં સુધી મનુષ્ય પ્રેમથી પરમાત્માને ના બાંધે ત્યાં સુધી તે માયાના બંધનમાંથી છૂટી શકતો નથી. ત્યાં સુધી તે સંસારના બંધનમાં રહે છે.ઈશ્વરને બાંધે એ –જન્મ-મરણના બંધનમાંથી છૂટે.   ઈશ્વર કોઈ દિવસ પોતાનો આગ્રહ રાખતા નથી –તે અનાગ્રહી છે.“મને બાંધવાથી મા ને સુખ થતું હોય તો મા ભલે મને બાંધે.” માને રાજી કરવા પ્રભુએ બંધનનો સ્વીકાર કર્યો. પોતાને સુખી થવાનો કોઈ આગ્રહ રાખ્યો નહિ.જયારે