ભાગવત રહસ્ય -૨૭૮ પરીક્ષિત કહે છે કે-આ કૃષ્ણકથા સાંભળવાથી તૃપ્તિ થતી નથી.તેને વિસ્તારપૂર્વક સંભળાવો.શુકદેવજી કહે છે-કે રાજન,શ્રવણ કરો. ગોપીઓએ કનૈયા નું નામ રાખ્યું છે માખણચોર.યશોદાજી ને લાલાને કોઈ માખણચોર ના નામથી બોલાવે તે ગમતું નથી.એટલે તે લાલાને સમજાવે છે.કે તું ઘરનું માખણ કેમ ખાતો નથી ? કનૈયો કહે છે-કે-હું ઘરનું ખાઉં તો ખૂટી જાય,હું તો બહાર કમાઈને ખાઈશ.ગોપીઓનું માખણ મીઠ્ઠું છે.ગોપીના માખણમાં મીઠાશ નથી પણ ગોપીના પ્રેમ માં મીઠાશ છે. યશોદાજી વિચાર કરે છે-કે-ઘરનું કામકાજ નોકરો કરે છે,પણ નોકરોનું કામ નોકરો જેવું. રસોઈઓ રસોઈ કરે કે –મા રસોઈ કરે તેમાં ફરક છે,મારી જ ભૂલ છે,એટલે જ લાલાને ઘરનું