ભાગવત રહસ્ય - 273

ભાગવત રહસ્ય -૨૭૩   મનનો નિરોધ ત્યારે થાય કે-મનમાં જગતના કોઈ પણ જીવ તરફ વિરોધ ના હોય. મનના નિરોધમાં વિઘ્ન કરનાર વિરોધ અને વાસના છે.જગતના ભોગપદાર્થો ભોગવવાની વાસના અને વિરોધ જાય તો આપોઆપ નિરોધ થાય,અને અનાયાસે જીવને મુક્તિ મળે. શ્રીકૃષ્ણલીલામાં અનાયાસે મન નો નિરોધ થાય છે.જગતની વિસ્મૃતિ અને અખંડ ભગવતસ્મૃ-તિ (ઈશ્વરમાં આસક્તિ) એ નિરોધ છે.પ્રભુના હૃદયમાં જઈ ને રહેવું-કે પ્રભુને હૃદયમાં રાખવા તે નિરોધ છે.   આગળ પૂતના ચરિત્રમાં આવી ગયું કે-વાસના આંખમાં,કાનમાં હોય છે.માટે-કૃષ્ણ કથામાં કાનને સ્થિર કરવાના અને આંખમાં કૃષ્ણની રૂપ-માધુરી ને સ્થિર કરવાની.શ્રીકૃષ્ણ લીલા એ નિરોધ લીલા છે. ઘડીભર માની લો કે-આ સંસાર સુંદર છે,પણ પછી જરા