28. વાડ વગર વેલા ન ચડે એ જાણીતી કહેવતનો અર્થ છે કે કોઈ નક્કર પીઠબળ સિવાય લોકો પોતાના સ્વાર્થની વાત આગળ વધારી શકતા નથી. અમુક ઘટના કે ઘટનાક્રમ બને તેના મૂળમાં જઈએ તો કંઇક બીજું જ જોવા મળે.પોતાનો સ્વાર્થ સાધવા માગતા લોકો પાછળ વાડ બની બીજાઓને ઉશ્કેરીને પરેશાની કરે છે, કરાવે છે. એ વેલાઓ વાડ વગર ચડી શકતા નથી એટલે કે એમના ઉશ્કેરણીજનક પ્રયત્નો પાછળ કોઈ બીજા જ હોય છે, જે છુપાયેલા હોય છે.તો હું આ કહેવતને લગતી મારી વાત કરું.હું આ મોટાં શહેરની આ ખૂબ પ્રતિષ્ઠિત સોસાયટીનો સેક્રેટરી છું. શિક્ષિત, ઉચ્ચ આવક ધરાવતા લોકોની 50 બંગલાની આ સોસાયટી છે. આસપાસની સોસાયટીઓ