પૂનરાવર્તન… ~~~~~~~~~~~ આખા ઘરમાં આંટા મારતી રેણુ ક્યારની મનમાં ને મનમાં વિચારી રહી હતી "પરીક્ષા તો ત્રણ વાગે જ પતી જવાની હતી,.. ક્યાં હશે બિરવા ?" ઘડિયાળમાં જોયું તો સાડા સાત,.. રેણુ બિરવાની કેટલીયે સહેલીઓને ફોન લગાવી ચુકી હતી,.. અને યુક્તિથી બધાને પૂછી રહી હતી કે બિરવા ક્યાં હતી ? પણ દરેક જગ્યાએથી એને નિરાશા જ મળતી હતી,.. બીજી બાજુ પોતાના પતિ સુનિલનો ભય પણ રેણુને એટલો જ હતો,.. સાંજે સાત પછી બિરવા તો શું રેણુ પણ ઘરની બહાર રહે એ સુનીલને પસંદ નહોતું,.. રેણુએ યાદ કર્યું,.. પરીક્ષા માટે જતી વખતે જ એણે બિરવાને છેલ્લે જોઈ હતી કેટલી ઉતાવળમાં હતી એ,.. નાશ્તો પણ સરખો કર્યો નહોતો આખું દ્રશ્ય જાણે એને અત્યારે