ભાગવત રહસ્ય - 244

  • 838
  • 338

ભાગવત રહસ્ય -૨૪૪   ગોપી,નૌલખો હાર અને લાલાની –સાદી વાર્તા પાછળનો સિદ્ધાંત દિવ્ય છે. હાર,વસ્ત્રો,ચાંદીની થાળી વગરે લૌકિક સુખના પ્રતિક છે, જે લૌકિક સુખ ને છોડે,તેને લાલો મળે.જે લૌકિક સુખમાં આનંદ માને તેને પરમાનંદ મળતો નથી. પરમાત્મા પરમાનંદનું સ્વ-રૂપ છે.જે આનંદ કાયમ માટે ટકે તેને પરમાનંદ કહે છે. વિષયાનંદ એક-બે ક્ષણથી વધારે ટકતો નથી.   બાળક રડતું હોય,ત્યારે મા તેને રમવા રમકડાં આપે છે અને પોતે ઘરકામ કરવા લાગે છે. પણ બાળક રમકડાં સાથે રમે નહિ અને રડવાનું ચાલુ રાખે તો-મા બાળકને ગોદમાં લેશે. બાળક જો રમકડાંથી રીઝી જાય તો મા,બાળકને ગોદમાં લે નહિ. પરમાત્માએ પણ આપણને લૌકિક સુખોનાં રમકડાં