મેનેજમેન્ટ શું છે? - 7 - સમસ્યાના સર્જનહારને દૂર કરો

  • 1.1k
  • 302

સમસ્યાનું સર્જન કરનાર વ્યક્તિ પોતાની માટે તેમજ જ કંપની માટે નુકશાનકારક હોય છે. સતત સમસ્યાનું સર્જન કરનાર વ્યક્તિ કંપનીના વિકાસમાં હમેશા રોડા નાખે છે. આવા વ્યક્તિઓથી હમેશા દૂર રહેવું જોઇએ એટલું જ નહિ આવી વ્યક્તિને કંપનીના નિર્ણયોથી પણ દૂર રાખવા જોઈએ. એક ઉદ્યોગસાહસિક તરીકે મારો સૌથી અઘરો પાઠ પ્રતિભાનું મૂલ્યાંકન કરવાની ઓછી ક્ષમતા છે. આ એક એવી પ્રક્રિયા છે જે સતત ચાલતી રહે છે અને તે સમયે અત્યંત ખર્ચાળ પણ બની શકે છે, પરંતુ એવી કોઈ માર્ગદર્શિકા નથી જે વ્યક્તિને કોઈ બીજા વ્યક્તિની પ્રતિભાનું મૂલ્યાંકન કરવાનું શીખવાડે. સ્ટાર્ટઅપને લોકો સફળતાની સાથે જોડે છે, પરંતુ એક એવો સમય પણ આવે છે