ભાગવત રહસ્ય -૨૩૧ રામજી બહુ ઓછું બોલે છે,રામજીએ જગતને બોધ વ્યાખ્યાનથી આપ્યો નથી, વર્તનથી આપ્યો છે.રામજીએ લક્ષ્મણને આજ્ઞા કરી છે-સીતાજીને કોઈ ઘોર જંગલ માં મૂકી આવ.લક્ષ્મણજીએ ના પાડી છે.તેમનો સીતાજીમાં માતૃ ભાવ છે. રામજીએ કહ્યું-કે લક્ષ્મણ તારે આ કામ કરવું જ પડશે.સેવા ધર્મ અતિ કઠણ છે. સેવા કરી માલિકને સદા પ્રસન્ન રાખવા અઘરા છે.યોગી થવું કે જ્ઞાની થવું સહેલું છે.પણ સેવક બનવું અતિ કઠિન છે. સેવકને નિરપેક્ષ (અપેક્ષા વિનાના) બનવું પડે છે.પોતાન સુખને મારવું પડે છે.સેવકને હંમેશાં સેવ્ય (જેનીસેવા કરવાની છે તે)ના સુખનો જ વિચાર કરવો પડે છે.માલિકની ઈચ્છા તે મારી ઈચ્છા. મોટાભાઈએ આજ્ઞા કરી છે.ઋષિમુનિઓના દર્શન કરાવવાના