ભાગવત રહસ્ય -૨૧૦ સીતા,રામ અને લક્ષ્મણ દશરથ પાસે આવ્યા છે.વારંવાર દશરથને સમજાવે છે-કે- પિતાજી ,ધીરજ ધારણ કરો,હું વનમાં જાઉં છું,મને આજ્ઞા આપો,આશીર્વાદ આપો. કૈકેયી કહે છે-કે-મેં તને આજ્ઞા કરી છે,તે તારા પિતાની આજ્ઞા છે,તારા પિતા તને કંઈ કહી શકશે નહિ.તે પછી કૈકેયી વલ્કલ વસ્ત્રો લાવ્યા છે,રામજીએ વસ્ત્રો-આભૂષણો ઉતર્યા અને વલ્કલ ધારણ કર્યાં. પછી સીતાજીને વલ્કલ-વસ્ત્ર આપ્યાં.પણ તે જ વખતે વશિષ્ઠજી આવ્યા છે,તેમણે વલ્કલ વસ્ત્રો ખેંચી લીધાં અને કૈકેયીને ઉદ્દેશીને બોલ્યા-તે અયોધ્યાની રાજલક્ષ્મી છે.વનવાસ રામને આપ્યો છે,સીતાને નહિ. પતિવ્રતાધર્મને અનુસરીને તે વનમાં જાય છે-તે વસ્ત્ર અને આભૂષણો સાથે જ વનમાં જાય. અયોધ્યાની પ્રજા વ્યાકુળ થઇ છે.પ્રજા કહે છે-કે