ભાગવત રહસ્ય - 192

ભાગવત રહસ્ય - ૧૯૨   કામ જયારે મનમાં પ્રવેશ કરે છે-ત્યારે-વિવેકને તે ધક્કો મારે છે. નારદજી મનમાં વિચારે છે-કે- આ કન્યા મને મળે તો કેમ? જો હું અતિ સુંદર બની જાઉં તો મને વિશ્વમોહિની મળે.ચાલ ભગવાન પાસે જઈ તેમની સુંદરતા માગી લાવું. નારદજી પાછા આવ્યા નારાયણ પાસે. પ્રભુ એ પૂછ્યું-કેમ નારદજી જલ્દી પાછા આવ્યા ?નારદજી એ વાત કહેવા માંડી, કહે-કે- મહારાજ આજે હું તમારું રૂપ માગવા આવ્યો છું. મારે એક રાજકન્યા સાથે લગ્ન કરવાં છે.   પ્રભુ કહે-છે-કે- એ વાત રહેવા દે,નારદ,તું બહુ દુઃખી થઈશ. પણ નારદજી માને શાના? તેમનું મન હતું વિશ્વમોહિની માં. એટલે પ્રભુ એ કહ્યું-કે-તારું હિત થાય