પ્રેમની વ્યાખ્યા

  • 588
  • 2
  • 164

કબીર સાહેબે કહ્યું છે કે,“પુસ્તક પઢ પઢ જગ મૂઆ, પંડિત ભયા ન કોઈ,ઢાઈ અક્ષર પ્રેમકા, પઢે સો પંડિત હોઈ.”આ પુસ્તક પઢી પઢીને તો જગત મરી ગયું પણ પંડિત કોઈ થયો નથી. પણ જેને પ્રેમના બસ અઢી અક્ષર સમજાઈ જાય તે પંડિત થઈ ગયો. પણ પ્રેમની વ્યાખ્યા શું? સાચો પ્રેમ કોને કહેવો?“હું તને પ્રેમ કરું છું!” ... “આઈ લવ યુ!” ... “એણે મારી સાથે પ્રેમમાં દગો કર્યો!” ... “મમ્મી, તું ભાઈને વધારે લવ કરે છે, મને નહીં!” જીવન વ્યવહારમાં ઘણી બધી જગ્યાએ પ્રેમ શબ્દ પ્રયોજાતો હોય છે, પણ સાથે-સાથે એ જ વ્યવહાર કે સંબંધોમાં રાગ-દ્વેષ ઊભા થાય, ત્યારે પ્રશ્ન થાય કે