એવું કહેવાય છે,કે એકબીજા સાથે છુટાછેડા લેવાથી સમાધાન થઈ જાય?નહીં,સમાધાન નથી થતું પણ એકબીજાને ચિંતા વધે છે.ફરી કોઈ છોકરો ગોતવા નો ફરી કોઈ છોકરી ગોતવાની,ફરી કોઈ સાથે લગ્ન કરવાના,ફરી કોઈના પ્રેમમાં પડવાનું.હું તને છૂટાછેડા આપી દવ છું,એ કેહવું સહેલું છે.પણ,કોઈના જીવન સાથે ફરી બંધાવું એ ઘણું અઘરું છે.
મેં એક છુટાછેડા થયેલ સ્ત્રી સાથે વાત કરી હતી.તેમના લગ્ન કોઈ બીજા પુરુષ સાથે ચાર મહિના
પહેલા જ થયેલા છે.
મેં એ સ્ત્રીને સવાલ કર્યો કે શું તમને તમારા પેહલા પતિની યાદ નથી આવતી?તેમની સાથે વીતાવેલી પળે પળે તમને યાદ નથી આવતી?
એમણે મને કહ્યું હું તમારી સામે "ના' કશ મને જરા પણ તેની યાદ નથી આવતી.પણ,મારા દિલમાં જે છે એ આજ હું છુપાવિશ નહિ.આજ તમને હું વાત કરીશ કેમકે હું તમને ઓળખતી પણ નથી.અને તમે મારા કોઈ સગા પણ નથી.
હા,મારા પેહલા પતિનું નામ પ્રકાશ હતું.તેની મને ખૂબ જ યાદ આવે છે.પણ,હું કોને કેહવા જાવ તેની સાથે વિતાવેલી પળને યાદ કરી,હું એક ઘરનો ખૂણો ગોતીને ઘણીવાર આજ પણ હું ખૂબ રડી લવ છું.આ વાત એવી છે કે તમે કોઈને કહી પણ ન શકો.
ક્યારેક હું વિચાર કરતી કે આખી જિંદગી હું તેને યાદ જ કરતી રશ.મારે તે વ્યક્તિને ભૂલી જવો જોઈએ.તેમણે મને જિંદગીમાં દુઃખ જ આપ્યું હતું,પણ તેમની સાથેના સુખના દિવસો પણ મેં વધારે પ્રસાર કર્યા છે,પણ એ યાદને ક્યારેય તમે તમારી જિંદગીમાં ભૂલી શકતા નથી.
અમારે છુટા થવાનું કારણ ફક્ત એટલું જ હતું કે
તેનો સભાવ સારો ન હતો.તે વાત વાતમાં મને ગાળો
આપતો હતો.પણ મને તે પ્રેમ ખૂબ કરતો હતો.જિંદગીમાં સૌથી મોટી હાર,એ તમારી નિરાશા છે.કે તમેં તમારા દિલમાં રહેલી વાત કોઈને કહીનો શકો.
જે નાના એવા કારણથી છુટાછેડા લે છે.તેમને મારી વિનંતી છે,કે એકબીજાની થોડા નજીક આવી જઈને કોઈપણ વાતનું સમાધાન કરી લેવું જોઇયે.બંનેને થોડું જતું પણ કરવું પડશે.શબ્દ પર શબ્દ મેકવાથી તેનો ઉકેલ નહીં આવે.
જિંદગી આ ધરતી પર એક જ વાર મળે છે.તમારા ગયા પછી તમારા સગા વાહલા દસ પંદર દિવસ યાદ કરીને તમારા ફોટા પર ફૂલનો હાર ચડાવી દેશે પછી કોઈ યાદ નહિ કરે.છુટાછેડાએ સમાધાન નથી એ તો નિરાકરણ છે,એકબીજા સાથે બેસીને એ વાતને ભૂલી જાવ એ સમાધાન છે
માટે આ જિંદગીને મન ભરીને તમે જીવીલો.પેટ ભરીને ખાવ.ખૂબ કસરત કરો.એકબીજાને ખૂબ પ્રેમ કરો.એકબીજા સાથે ઝઘડો,તે રિસાય ત્યારે તેની પાસે જઈને કહો,
કે સોરી હો યાર....મારી ભૂલ હતી.
લી.કલ્પેશ દિયોરા®️™️