??હું મારી રાધાનો કૃષ્ણ છું ??
કૃષ્ણ બોલું ત્યાં રાધા સાંભરે
રાધા બોલું ત્યાં કૃષ્ણ..
બંને એકબીજાના પૂરક
નામ બોલું ત્યાં મારામાં પ્રેમ પાંગરે..
કૃષ્ણ વિના રાધાની હાલત શું થઈ એ સૌ કોઈ જાણે છે, પણ રાધા વિના કૃષ્ણ કેમ કરી જીવ્યો હશે એ કોઈએ વિચાર્યું??
એક દિવસ કૃષ્ણ- દ્વારકાધીશ ને બલરામે પૂછ્યું, માધવ, તને તારું ગોકુળ યાદ નથી આવતું??? તને તારી ગાયો યાદ નથી આવતી?? નંદ જશોદા યાદ નથી આવતાં?? તારાં ગોપ ગોપીઓ યાદ નથી આવતા??? અરે, એ બધું જ તું છોડ..તને કાળીયો કાળીયો કહી ને બોલાવતી તારી રાધા યાદ નથી આવતી??? ત્યારે કૃષ્ણ કહે છે-
"ઓળઘોળ આખું આ રજવાડા કરી દઉં
આપે જો કોઈ એક ગોકુળ ની રાત..."
મને જો કોઈ એક રાત ગોકુળ માં રહેવા આપે તો મારું સઘળું ધન, દોલત, આ આખે આખી દ્વારકા એના ચરણોમાં મૂકી આ જીવન એની સેવા કરું. પણ મને કોઈ એક રાત ગોકુળમાં રહેવા દે. મારી એ રાધા.... મારી કુંજગલી... મારા માં બાબા... મારા મિત્રો.. એ બધા વિના હું કયાં જીવું છું!!??ગોકુળ છોડ્યા પછી કે મારી ગોપીઓ છોડ્યા પછી મેં ગોરસ નથી ખાધાં.ભૂલથી પણ જો મારી થાળી માં ગોરસી મૂકે તો એ થાળ હું આરોગતો નથી. હું પગે લાગી ઊભો થઈ જાઉં છું. ગોકુળ ના ગોરસ ખાધા પછી મને બીજા ગોરસ ઝેર સમાન લાગે છે.
મારી રાધાથી દૂર થઈ મારી આ મોરલી પણ જાણે કે શૂર ભૂલી છે.
હું જાણું છું મારી રાધા બ્રિજવન માં ઊભી રહી દરરોજ મારી રાહ જુએ છે. કુંજગલીમાં મને સાદ દે છે. જ્યારે જ્યારે મારું હૃદય કોઈ કારણ વિના જોર જોરથી ધબકવા માંડે ત્યારે હું સમજી જાઉં છું કે મને મારી રાધા યાદ કરે છે.એણે કદી નથી કોઈ તકરાર કરી કે નથી કોઈ ફરિયાદ કરી. જાણું છું કે એ વિરહ ના વિષ ને અમૃત બનાવી પાન કરી મને અને મારા પ્રેમ ને અમર બનાવે છે.
હું મારી રાધા વિના કયાં જીવું જ છું?? એ જ તો મારા હૃદય માં ધબકાર બનીને ધબકે છે. અને મને જીવંત રાખે છે.
કોઈ મારી રાધા ને જઈને કહો કે તારા વિના આ તારો કાળીયો...તારો માધવ અધૂરો છે. હું જરૂર તને મળવા આવીશ બસ તું મારી રાહ જોવાનું ન છોડતી.
-કુંજદીપ.
જયશ્રી રાધા કૃષ્ણ સૌને ????