તક્ષશિલા બિલ્ડીંગમાં લાગેલી આગને હવે તો ઘણો સમય થઇ ગયો..પરંતું જાણે તે ઘટના હજી આજે જ બની હોયછે તેમ આપણી નજર સામેથી જરાય ખસતી નથી..
પણ જેણે પોતાના પ્યારા સંતાનો ગુમાવ્યા છે તેવા તેમના માબાપના મન ઉપર કે દિલ ઉપર કેવી દશા હશે તે આપણે સહેજ પણ વિચારી શકીએ છીએ..
તેમને કેવા કેવા અરમાનો નજરમાં રાખ્યા હશે કે...
મારો દિકરો મોટો થઇને દાક્તર બને..આર્કિટેક બને..કે ચાર્ટર એકાઉન્ટન્ટ બને...પરંતું એ તેમના સપનો પુરા થતા પહેલા જ ભયાનક અગ્નીના કાળ મુખમાં તે બધા હોમાઇ ગયા..
એ બાળકો તો હવે આ દુનિયામાં રહ્યા નથી પરંતુ જે લોકોએ તે દ્રશ્યો પોતાના કેમેરામાં કંડાર્યા હતા તે જોઇને આજે પણ આપણું દિલ દ્રવી ઉઠેછે..કે આ શું થઇ ગયું હે ભગવાન..
જાણે આંબા ઉપરથી પડતી કેરીઓ..ટપ ટપ ટપ..
એક બચી જવાની આશાએ ઉપર ચાર માળના મકાનમાંથી નીચે પડે છે..ત્યારે તેમને શી ખબર હતી કે આ આપણું સાહસ આપણા મોત તરફ લઇ જશે!
જે પડ્યુ તે દુનીયાથી ચાલી ગયું..ગભરાયેલો જીવ પણ વધારે શું કરી શકે!
ઉપર પણ આગ હતી ને નીચે પણ સખ્ત પથ્થર હતા..છતાય તેઓનું આ સાહસ એક મનમાં બચી જવાની આશા સાથેનું કર્યુ હતું..
કાશ, ઉપરથી પડયા પછી સૈ સૈ કોઇ બચી ગયા હોત તો.. તો આજ સૈનો દિવસ જ કંઇક ઓર હોત...
પરંતું મોત કોઇને કયારેય છોડતું નથી..ચાહે તમે ઉપર આકાશમાં હો કે નીચે ધરતીના પેટાળમાં હો..એતો તમને ગમે તેમ કરીને નિર્ધારીત સમયે લઇને જ જવાનું છે..
ઘણા કહેછે કે ફાયર બ્રિગેડની ગાડીઓ મોડી આવી હતી..તો ઘણા કહેછે કે નીચે કોઇ તેમને હાથમાં ઝીલતું ના હતું..તો ઘણા કહેછે કે લોકો પોતાના મોબાઈલમાં વિડીઓ ઉતારતા હતા..તો આવા બનાવમાં આપણે કોને કોને દોષ દેશું!
જે થવાનું હતું તે થઇને જ રહ્યુ..પરંતુ આપણે હવે ખાસ ખ્યાલ રાખવાનો છે કે ફરી આવી ઘટના કયાંય પણ ને ક્યારેય પણ ના બને બસ..
આપણી જીંદગી જેમ અતિકિમતી છે તેમ બીજાઓની જીંદગી પણ આપણા જેટલી જ અતિકિંમતી હોયછે..કોઇની મરતા જીંદગી બચાવવી એ તો પુણ્ય નું પણ પુણ્ય હોયછે..એનાથી ઉંચુ કોઇ પુણ્ય હોતુ નથી..
સૈનો સાથ તો જ સૈનો બચાવ..
એક નવા સુત્ર પ્રમાણે હવે આપણે કામ કરવું પડશે..
આવા દર્દ ભર્યા દ્રશ્યો જોઇને આપણે પણ હવે હેતબાઇ ગયા છીએ..ફાયર બ્રિગેડવાળા પણ હવે તેમની રીતે સજાગ થઇ ગયા છે..
ને હવે ફરી આવી કોઇ ઘટના ના બને તેમ આપણે પણ મનોમન વિચારતા થયા છીએ..જે સારી વાત છે..
જાગ્યા ત્યાંથી સવાર.. સમજીને એક નવી દિશાની શરુઆત હવે કરવાની છે. કારણકે બીજાના બાળકો એ આપણા જ બાળકો છે..એક આપણા દેશના બાળકો છે..જે કાલે ભારતદેશનું ભવિષ્ય નકકી કરનારા હશે..તેમ માની સમજી ને જ આગળ વધવાનું છે..
મરણ પામેલ દરેક બાળકને એક દિલથી શ્રધ્ધાંજલી ?