થોડાક દિવસો પછી આ ધમધમતો ઉનાળો વિદાય લેશે..ને..ઝરમર ઝરમર વરસાદની સિઝન એટલે કે ચોમાસું ચાલું થઇ જશે...
હાલ તો અમુક જગ્યાએ ચુવાલીસ પિસ્તાલીસ ડિગ્રી સુધીની સખ્ત ગરમી પણ પડી રહી છે...
એટલે કે હાલ તો ઉનાળાની સિઝન આમ તો ચાલું છે..
લોકોને સવાર દશ વાગ્યાથી જ ગરમી લાગવાની ચાલું થઇ જાયછે..બપોર એક બે વાગ્યે તો રસ્તાઓ ઉપર આવતા જતા મુસાફરોને પાણી પીવાની તરસ લાગવાની પણ ચાલું થઇ જાયછે..ઘરેથી બોટલમાં લાવેલ ઠંડું પાણી પણ આ સખ્ત ગરમીથી ગરમ થઇ જતુ હોયછે..એટલે આવા સમયે ઠંડું પાણી પીવાની તલપ પણ લાગતી હોયછે...
પણ હા, ગમે તેમ પણ આપણો ભારતીય સમાજ ખુબજ માયાળુ સ્વભાવનો હોયછે પછી તે કોઇ પણ જાતનો હોય..કોઇની ઉપર પ્રેમભાવ કે લાગણી કરવામાં ઘણો આગળ પડતો કહી શકાય..
તમે રોડ કે રસ્તાઓ ઉપર આમજ લટાર મારશો તો તમને અમુક જાહેર જગ્યાઓ ઉપર માટીના ઘડા અથવા તો માટીની કોઠીઓ પાણીથી ભરેલ મુકેલી દેખાય છે...
અથવા તો કયારેક કોઇના મકાનની બહાર તો કોઇની દુકાનની બહાર...પણ માટલા કે જગ મુકેલા દેખાય છે..
સરસ..જો આવી લાગણી દરેક જાતિમાં એક ભાઇચારાની જેમ હોય તો કોઇ દેશની મજાલ છે કે ભારત ઉપર લાલ આંખ કરી જુએ...!
પરંતું ફકત આપણા દિલ જ કોમળ હોયછે પણ મગજ તો લાય જેવા ગરમ જ હોયછે...આ બંન્નેનો કોઇ દિવસ તાલમેલ થતો જ નથી..જો તાલમેલ થાય તો નાતજાતના તોફાનો જ ના થાય..પરંતું એ કયારેય શકય નથી..
હું એટલે હું ને તુ એટલે તું બસ આ જ બંન્નેની લડતના અઘરા શબ્દો હોયછે..
તો આપણે પાણીની વાત કરી રહ્યા હતા..આગળ!
હા બીજી ઘણીબધી સામાજિક સંસ્થાઓ પણ હોયછે કે તેઓ તો આખે આખા ઠંડા પાણીના જગ, તે પણ એક બે ત્રણ નહી પરંતું એકથી બે ડઝન જાહેર જનતા માટે ખુલી જગ્યાએ આમ જ મુકી દેતા હોયછે પીવુ હોય એટલુ પીવો...બહુજ સરસ..
ઉપર બેઠેલો ભગવાન પણ વિચાર કરતો હશે કે મે ધરતી ઉપર માનવ જન્મ આપીને ખરેખર કોઇ ભુલ તો કરી જ નથી..
તમે પણ કોઇપણ દુકાનની બહાર મુકેલા જગમાંથી કયારેક એકાદ ગ્લાસ પાણી પીશો તો મા કસમ તમને તે દુકાનદાર પાણી ના પીશો તો નહી કહે..
આ છે એક લાગણી..લાગણી એટલે એક જાતનો બીજા ઉપર ઉભરાતો અનોખો પ્રેમ.
સખ્ત તાપથી તપી રહેલા એક બપોરમાં એક ઉંમરલાયક સરદારજી પોતાના એકટીવા ઉપર ઘેરથી લાવેલા બે ઠંડા પાણીના જગમાંથી રોડ ઉપર આવતા જતા રાહદારીઓને ખુશીથી પાણી પીવડાવતા હતા..સાથે સાથે આવતી જતી એસટી બસોમાં બેઠેલા મુસાફરોને પણ બારીમાંથી એક એક પાણીનો ગ્લાસ આપતા હતા..આ જોઇને મારુ ર્હદય દ્રવી ઉઠયું ને આના વિષે મને આજ લખવાનો મોકો મળ્યો...જેનો મને આનંદ છે.
ધન્ય છે આ સરદારજીને.. તેમની ઘણી આવરદા વાહે ગુરુ લંબાવે તેવી મારી ર્હદય પૂર્વક પ્રાર્થના...?