Garuda Purana - 3 books and stories free download online pdf in Gujarati

ગરુડ પુરાણ - ભાગ 3

તૃતીય અધ્યાય

ભગવાનના કહેવા પર ગરુડજીએ એમનાથી નિવેદન કર્યું કે હે પ્રભુ! આ આખા યમમાર્ગને પાર કરીને જીવ જ્યારે યમલોકમાં પહોંચે છે તો ત્યાં જઈને કઈ-કઈ યાતનાઓ ભોગવે છે, હવે તમે મને એ બતાવો. ગરુડજીના આ પ્રશ્ન કરવા પર ભગવાન નારાયણ બોલ્યા કે હું તને આદ્યોપાંત આનું વર્ણન કરું છું. આ નરક વર્ણન એવું છે જેને સાંભળીને મારા ભક્ત લોકો પણ ધ્રૂજી જાય છે અને તું પણ ધ્રૂજી જઈશ.

હે ગરુડ! બહુભીતિપુરની આગળ ૪૪ યોજનના વિસ્તારનો મોટું ભારે ધર્મરાજનું નગર છે. યમપુરમાં પહોંચીને જીવ હાહાકારપૂર્વક બરાડા પાડે છે. એના આ પ્રકારના બૂમો પાડવાને સાંભળીને યમપુરમાં રહેવાવાળા ધર્મધ્વજ નામના દ્વારપાલ એના વિષયમાં ચિત્રગુપ્તથી જીવના બધા શુભ-અશુભ કર્મોને કહે છે. એના પછી ચિત્રગુપ્ત જઈને એ પ્રાણીના શુભ-અશુભ કર્મોને ધર્મરાજથી નિવેદન કરે છે. હે ગરુડ! જે નાસ્તિક છે, હંમેશાં પાપ કર્મમાં લાગેલા રહે છે, ધર્મરાજ એને સારી રીતે ઓળખે છે, એના પર પણ એમના પાપોને ચિત્રગુપ્તથી પૂછે છે, પછી ચિત્રગુપ્ત બધું જ જાણતા હોવા છતાં મનુષ્યોના પાપોને શ્રવણથી પૂછે છે. સ્વર્ગ, ભૂમિ, પાતાળમાં વિહાર કરવાવાળા શ્રવણ બ્રહ્માના પુત્ર છે અને એમને દૂરથી સાંભળવા અને દૂરથી જોવાનું વિશેષ જ્ઞાન છે. એમની સ્ત્રીઓ પણ એમની જ જેમ દૂર સુધી જોવા અને સાંભળવાવાળી હોય છે (પરંતુ એમના નામ અલગ-અલગ છે). સ્ત્રીઓના જેટલા કામ છે એમને તે બધા સારી રીતે જાણે છે. તે બધા શ્રવણ-શ્રવણી મનુષ્યોના છુપાયેલા કર્મો, પ્રગટ કરેલા કર્મો, કહેલી વાતો તથા વ્યવહાર અને કરેલા કાર્યોના તત્ત્વને જાણે છે. તે બધા એ જ રીતે ચિત્રગુપ્તથી કહી દે છે. ધર્મરાજના દૂત મનુષ્યનો મન, વચન અને શરીરથી કરેલા શુભ-અશુભ સંપૂર્ણ કર્મનો સારી રીતે ઓળખે છે. સત્ય બોલવાવાળા શ્રવણ લોકો મનુષ્ય અને દેવતાઓના બધા કર્મોને જાણવાની શક્તિ રાખે છે. તેથી તે બધાની વાતો ધર્મરાજથી કહી દે છે. પરંતુ વ્રત, દાન તથા સત્ય વગેરે વ્યવહારોથી જે ભક્ત મનુષ્ય એમને પ્રસન્ન કરે છે. એમના માટે તેઓ સ્વર્ગ અને મોક્ષને આપવાવાળા છે. તેઓ સત્યવાદી શ્રવણ પાપીઓના પાપકર્મને જાણીને ધર્મરાજની સામે કહીને પાપીઓ માટે દુઃખદાયી હોય છે. સૂર્ય, ચંદ્રમા, વાયુ, અગ્નિ, આકાશ, ભૂમિ, જળ, હૃદય (આત્મા), યમ, દિવસ, રાત્રિ, બંને કાળની સંધ્યા અને ધર્મના મનુષ્યોના આચરણને જાણવાવાળા હોય છે. ધર્મરાજ, ચિત્રગુપ્ત, યમરાજ, શ્રવણ અને સૂર્ય વગેરે દેવતા છે, આ શરીરમાં રહીને બધા પ્રકારના પાપ અને પુણ્યને જોતા રહે છે. આપ્રકારે યમરાજ પાપી મનુષ્યોના પાપો અને દુર્ગુણોને સારી રીતે જાણીને એ પાપી જીવને બોલાવીને પોતાનું ભયંકર સ્વરૃપ અને પ્રભાવ બતાવે છે. તે પાપી પ્રાણી દંડ હાથમાં લઈને, ખૂબ લાંબા શરીરવાળા, ભેંસની ઉપર બેઠેલા યમરાજના ભયંકર સ્વરૃપને જુએ છે. એમના પ્રલયકાળમાં મેઘની સમાન ગર્જન છે, કજ્જલ પર્વતની સમાન ઊંચું અને કાળુ શરીર છે, જે વીજળીની સમાન ચમકવાવાળા શસ્ત્રોને ધારણ કરેલા છે. તેઓ બત્રીસ ભુજાઓ વાળા છે. એમનું શરીર ત્રણ યોજન વિસ્તૃત છે, બાવલીના સમાન વિશાળ નેત્ર છે, જેમના ભયાનક દાંત અને મુખ, લાલ નેત્ર, અને લાંબી નાસિકા છે. કાળ, જ્વર, વ્યાધિ વગેરેની સેના સહિત મંત્રી ચિત્રગુપ્ત પણ ભયાનક આકૃતિના છે અને એમની સાથે યમરાજની સમાન આકૃતિવાળા યમદૂત લોકો પણ અત્યંત ભયાનક ગર્જન કરે છે. એ યમરાજને જોઈને ભયભીત થઈને તે પાપી પ્રેત 'હાય' કહીને પોકારે છે અને દાન ધર્મ ન કરવાથી તે પાપી જીવ ફરીથી બૂમો પાડે છે. આમ બૂમો પાડે છે અને પોતાના કર્મોને વિચારીને પસ્તાતાઈને એ જીવથી ચિત્રગુપ્તજી યમરાજની આજ્ઞા સંભળાવે છે કે અરે પાપીઓ, મૂર્ખો! તમે લોકોએ અભિમાનથી પ્રમૃત્ત થઈને કેમ પાપને એક્ઠું કર્યું છે? કામ, ક્રોધ અને પાપીઓની સંગતિથી ઉપાર્જિત આ દુઃખ આપવાવાળા પાપને તમે કેમ કર્યા છે? તેઓ કહે છે કે તમે પહેલા ખૂબ ખુશીથી પાપ કર્મ કરો છો, હવે એવી જ રીતે હર્ષિત થઈને યાતનાઓ પણ ભોગવો. હવે તમે કેમ દુઃખી થાઓ છો? તમારા કરેલા પાપ જ તમારા દુઃખનું કારણ છે, એમાં કોઈ દગો નથી કરવામાં આવતો. મૂરખ કે પંડિતમાં, પ્રબળ-નિર્બળમાં, દરિદ્ર-ધનવાનમાં યમરાજ સમાન વર્તન અને ન્યાય કરવાવાળા છે. ચિત્રગુપ્તના વચન સાંભળીને પાપી જીવ પોતાના કર્મનો વિચારીને મૌન થઈને ચૂપ થઈ જાય છે. ધર્મરાજ પણ ચોરની જેમ બેઠેલા એ પ્રાણીને જોઈને એના માટે શુભાશુભ કર્મોના યોગ્ય દંડની આજ્ઞા એને આપે છે. એ સિવાય તેઓ નિર્દયી દૂત પીડા આપીને કહે છે કે હે પાપી નિર્દય! તમે ઘોર અને ભયંકર નરકમાં જાઓ. યમરાજની આજ્ઞા મેળવીને દુર્દંડ, પ્રચંડ, ચંડ વગેરે દૂત એ બધા પાપીઓને એક ફંદામાં બાંધીને નરકની તરફ લઈ જાય છે. ત્યાં સળગતી અગ્નિની સમાન મહાવિશાળ એક વૃક્ષ છે. એનો વિસ્તાર પાંચ યોજનનો છે, એક યોજનની એની ઊંચાઈ છે. એ વૃક્ષની ડાળીમાં નીચેની તરફ મુખ કરીને એ પાપી પ્રાણીને બાંધીને ભયંકર યાતના આપે છે. એ વૃક્ષમાં બંધાયેલો, સળગતો, જીવ રોવે છે, પરંતુ ત્યાં એની રક્ષા કરવાવાળું કોઈ નથી હોતું. એ સેમલના વૃક્ષમાં અનેક પાપી લડકીને યાતના ભોગવે છે અને ભૂખ-તરસથી પીડિત થઈને યમદૂતો દ્વારા તાડિત કરવામાં આવે છે. મદદહીન એ પાપી દૂતોથી હાથ જોડીને કહે છે કે હે દૂતો! અમારા અપરાધને ક્ષમા કરો. આ પ્રકારે કહેવા પર પણ એ પાપી પ્રાણીઓને લોખંડના સળીયા, મુદ્ગર, તોમર, ગદા અને ભાલા તથા મૂસલ વગેરેથી યમદૂત મારે છે. મારવાથી જીવ મૂર્ચ્છિત થઈ જાય છે. એમને આ પ્રકારે મૂર્ચ્છિત જોઈને યમદૂત લોકો આ પ્રકારે કહે છે- હે પાપી, દુરાચારી! તમે આવા દુષ્ટ કર્મો કેમ કર્યા છે? તરસ્યાને પાણી પીવડાવવું, ભૂખ્યાને અન્ન આપવું વગેરે સરળ કામ તમે કેમ ના કર્યા? અડધું ઘાસ પણ તેં ક્યારેય કુતરાઓ અને કાગડાઓને દાનના રૃપમાં નથી આપ્યું, ના તો ઘર પર આવેલા અતિથિને સત્કાર અને ના તો પિતૃઓનું તર્પણ કર્યું છે. હે જીવ! પોતાની યાતના છોડાવવા માટે ના તો તેં ક્યારેય અન્ન-દાન ના કર્યું, જેનાથી તારે આટલી યાતના ના ભોગવવી પડે. ના તો તેં સાધુઓની સેવા કરી, એનાથી પોતાના કર્મોના ફળને ભોગવ, જેના કારણે તેં અધર્મને સંચિત કર્યો છે. આથી યમરાજની આજ્ઞાથી દંડ ભોગવો. હરિ ભગવાન જ અપરાધના ક્ષમા કરવાવાળા છે, અમે લોકો તો એમની આજ્ઞાથી દંડ આપવાવાળા છીએ. આમ કહીને તે નિર્દયી થઈને તાડવાનું પ્રારંભ કરે છે, સળગતા અંગારાના સદૃશ તાડવાથી તેઓ નીચે પડી જાય છે. એમના પડવાથી પાંદડાઓની જેમ શરીર કપાઈ જાય છે અને એ જીવોને વૃક્ષની નીચે રહેવાવાળા કુતરા ખાય છે, એનાથી તે પાપી રોવે છે. રોઈ રહેલા જીવના મુખથી ધૂળ ભરીને, દોરડાઓથી બાંધીને મુદ્ગરોથી મારે છે અને શૂળોથી પીડા આપે છે. એના પછી જેમ લાકડી ચીરવામાં આવે છે, એવી જ રીતે કોઈ પણ પાપીને આરીથી ચીરીને બે ભાગ કરવામાં આવે છે. કોઈને પૃથ્વી પર સુવડાવીને કુહાડીઓથી ટુકડા-ટુકડા કરવામાં આવે છે. કોઈનું અડધું શરીર જમીનમાં દાડીને એના માથામાં તીરથી મારે છે, અને કોઈને નિર્મમ થઈને કોલ્હીમાં નાખીને ઈંખની સમાન તળે છે. કેટલાક જીવ સળઘતા અંગારા સહિત અડધી બળેલી લાકડીઓને ચારે તરફથી એક્ઠી કરીને લોખંડના ગોળાની સમાન તપાવવામાં આવે છે. કોઈને ઉકળતી ઘીની કડાઈમાં, કોઈને ગરમ તેલની કડાઈમાં નાખીને પકોડાની જેમ અહીં-તહીં ચલાવવામાં આવે છે. કોઈને માર્ગમાં મતવાળા હાથીની આગળ નાખી દેવામાં આવે છે, કોઈને હાથ-પગ બાંધીને નીચે લટકાવવામાં આવે છે. કોઈને કુવામાં ફેંકવામાં આવે છે, કોઈ પર્વતથી ફેંકવામાં આવે છે, કોઈને કીડાઓના કૂંડમાં ડૂબાડવામાં આવે છે અને કોઈને કીડાઓથી કરડાવવામાં આવે છે. આ બધા જીવોના વજ્રની સમાન કઠોર ચાંચવાળા, માંસને પસંદ કરવાવાળા ગિધ અને કાગડાઓ વગેરેની ચાંચોથી શરીરને નોચે છે, આંખોમાં ચાંચ મારીને તથા મ્હોના માસને ચાંચથી કાપે છે. કોઈ પોતાના ઋણને માંગે છે- હવે તમને મેં યમલોકમાં જોયા છે. તે મારું ધન ખાધુ છે. નરકમાં આવા ઝગડા કરવાવાળા પાપીઓના માંસ સિંડાસીથી કાપીને યમદૂત લોકો એ માંગવાવાળાને આપે છે. યમના દૂત આપ્રકારે એ પાપીઓને દંડ આપીને યમની આજ્ઞાથી અંધતામિસ્ર વગેરે અનેક નરકોમાં નાખી દે છે. નરકોમાં તો અનેક પ્રકારના દુઃખ ભોગવવા જ પડે છે. પરંતુ એ સેમલ વૃક્ષની નીચે જે પીડા આપવામાં આવે છે તે મુખથી પૂરી રીતે વર્ણિત નથી કરી શકાતી!

હે ગરુડ! ચોર્યાસી લાખ નરક છે. એમાંથી અત્યંત ઘોર અને કષ્ટ આપવાવાળા મુખ્ય એકવીસ છે. એમના નામ આ છે- મહારૌરવ, તામિસ્ર, લોહશંકુ, કુડ્મલ, શાલ્મલી, રૌરવ, કાલસૂત્રક, લોહિતોદ, પૂતિમૃત્તિક, સંઘાત, સવિષ, સમ્પ્રતાપન, મહાનિરય, કાકોલ, અવિચિ, સંજીવન, મહાપથ, અંધતામિસ્ર, કુંભી પાક, સંપ્રતાન, એકતપન જીવને આ એકવીસ નરકોમાં અનેક પ્રકારની પીડા ભોગવવી પડે છે. આ નરક અનેક પ્રકારના પાપોને ફળ આપવાવાળા છે. આ બધામાં યમદૂત નિવાસ કરે છે. આ નરકોમાં પડેલા અજ્ઞાની, પાપી, અધર્મી એ નરકોની યાતનાને વર્ષો સુધી ભોગવે છે. તામિસ્ર, મહાપથ, અંધતામિસ્ર અને રૌરવાદિક જેટલા નરક છે, એમનો ભોગ સ્ત્રી-પુરુષના સંયોગવાળા પાપથી ભોગવવો પડે છે. આ પ્રકારે કુટુંબિઓનું પાલન કરવાવાળઆ, અલગ થાય છે અને કુટુંબનું પાલન ન કરીને પોતાનું બેટ ભરાવાળા પાપી આ લોકમાં કુટુંબ અને શરીર બંનેને છોડીને પરલોકમાં જઈને આ પ્રકારે યાતના સહન કરે છે. એમના પાપનો ઘડો ભરાઈ ચુક્યો હોય છે અને આ બધા એના ફળ ભોગવે છે. બધા પ્રકારના દંડ સ્વરૃપ ફળને ભોગવીને મનુષ્ય ભોગવાવાળું શરીર અહીં છોડીને દ્રોહ રૃપી પાપનું સંબલ લઈને અંધકાર-સ્વરૃપ અંધતમ નરકે જાય છે. કેટલાક એવા છે, જે ફક્ત અધર્મથી જ કુટુંબ પાલન માટે તૈયાર રહે છે. જે જીવ અને ઘોર અંધકારના સ્થાન અંધતામિસ્રન નરકને જાય છે. જેને મનુષ્ય લોકમાં જન્મ મળે છે તે પહેલા યાતનાઓને ભોગવીને પછી પવિત્ર ભૂલોકમાં આવે છે. આ રીતે યમલોકનું આ સ્વરૃપ અત્યંત ભયાનક છે.

***

Share

NEW REALESED