એવું નથી ઓ કાળ કે મંથન માં રસ નથી
અમૃત રહ્યું નહીં તો સમંદર મા કસ નથી
દેખાય છે હજી એ મને રણ મા ઝાંઝવાં
દાવો અમસ્તો કેમ કરું એ તરસ નથી
જૂઠા પડે ના ક્યાંક તબીબો ના ટેરવાં
પ્રેમી ની નાડ છે કોઈ મામુલી નથી
લિલી સૂકી તો શૂન્ય છે ચૈતન્ય નું પ્રમાણ
કબરો ના ભાગ્યમાં કોઈ માઠું વરસ નથી
*-શૂન્ય પાલનપુરી*
-મહેશ ઠાકર